Thursday, January 6, 2011

જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-8

351 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ

352 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

353 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ

354 ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ

355 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના

356 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર

357 ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? Ans: અંબિકા

358 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ

359 ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલા દેસાઈ

360 ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

361 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

362 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

363 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ

364 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન - અરૂન

365 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

366 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી

367 ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર

368 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? Ans: ભાદરવા

369 મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી

370 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧

371 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ

372 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ

373 અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

374 પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. Ans: માનવીની ભવાઇ

375 ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

376 ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય ક. ઠાકોર

377 ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર

378 ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો

379 સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ

380 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ

381 સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી

382 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ

383 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ

384 ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans: ઠંડી-નલિયા અને ગરમી-ડીસા

385 અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? Ans: અર્બુદક પર્વત

386 ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

387 કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

388 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

389 ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

390 સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર

391 કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

392 સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય

393 ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ

394 ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

395 ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર

396 ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ

397 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી

398 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

399 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

400 ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠ

No comments:

Post a Comment